નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાની છે તારીખ 04/07/2020 ના કરંટ અફેર્સ વિશે….
ધર્મચક્ર દિવસ :
- સાંસ્કૃતિક મંત્રાલય અને ઇન્ટરનેશનલ બુદ્ધિષ્ટ કન્ફેટરેશન આ અષાઢી પૂર્ણિમા ( 4 july 2020) ને ધર્મચક્ર દિવસ કહે છે.
- આ દિવસના ઉજવણીની શરૂઆત સારનાથ( વારાસણી) થી થશે. ત્યારબાદ પછીનો કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં થશે.
- આ દિવસ બૌદ્ધ ધર્મનો બીજો સૌથી મોટો દિવસ છે. (બૌદ્ધ ધર્મનો સૌથી મોટો દિવસ બુદ્ધ પૂર્ણિમા છે.)
આ જ દિવસે ભગવાન બુદ્ધે સારનાથ ખાતે પાંચ બ્રાહ્મણોને પ્રથમ પ્રવચન આપ્યું હતું.
* ચાલો હવે થોડું ગૌતમ બુદ્ધ વિશે જાણી લઈએ.:
મૂળ નામ - સિદ્ધાર્થ
વંશ- શક્યો
માતા- માયાદેવી
પાલક માતા- ગૌતમી
પિતા- શુદ્ધોધન
ગુરુ - આલારકલામ
પત્ની - યશોધરા
પુત્ર - રાહુલ
- લગભગ ૩૦ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે ગૃહ ત્યાગ કરવાનું નક્કી કર્યું. એક રાત્રે તેમના સારથી છન્ન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલ એક નદી કિનારે પોતાના રાજવી પોશાક અને આભૂષણોનો ત્યાગ કર્યો.
- તેઓ બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ( બોધિવૃક્ષ) નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમણે જ્ઞાન પ્રાપ્ત થયું.
- તેમના મતે ચાર આર્ય સત્ય છે.
1) સંસાર દુઃખમય છે.
2) દુઃખનું કારણ તૃષ્ણા છે.
3) દુઃખ નો નાશ તૃષ્ણાનો નાશ છે .
4) અષ્ટાંગી માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે.
- તેઓનું 80 વર્ષની વયે કુશીનારામા અવસાન થયું
Shwe Oil & Gas
- વડાપ્રધાનની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ONGC વિદેશ લિમિટેડ દ્વારા શ્વે બ્લોક A -1 .A - 3 મા 121 મિલિયન ડોલરના રોકાણની મંજૂરી આપી.
- Shwe Oil & Gas મ્યાનમારમાં રખાઇન પ્રાંતમાં આવેલ છે.
AFSPA ( આફ્સ્પા )
- નાગાલેન્ડ રાજ્યમાં સશસ્ત્ર દળ વિશેષ શક્તિ અધિનિયમને વધુ છ મહિના માટે લંબાવાયું (30 જુન , 2020 થી લાગુ .)
- AFSPA વિશે માહિતી મેળવીએ:
.
- AFSPA એક્ટ 1958 શરૂ કરવા આવ્યો.
- આ એકટ Disturbed Area મા લાગુ પડશે
- આ એક મુજબ સશસ્ત્ર દળો પૂર્વ સૂચના વગર ધરપકડ, શંકાના આધારે તલાશી ,બળપ્રયોગ કરી શકે છે.
- જો બળ પ્રયોગ દ્વારા કોઈ મૃત્યુ નીપજે તો સશસ્ત્ર દળો જવાબ આપવા બંધાયેલા નથી.